આજે, હમણાજ નગીનદાસ સંઘવીનો ચિત્રલેખામાં લેખ વાંચ્યો. “બોલો, આમને ‘ગાંધીવાદી’ કહેવાય?” આ લેખ તો સાહેબે લખ્યો પણ એમણે અરુન્ધતીનો ફક્ત એકજ કોમેન્ટ ધ્યાનમાં લીધો છે. એમણે આખો નિબંધ નથી વાંચ્યો. હું શ્રી નગીનદાસ સંઘવીજીને એક લિંક મોકલાવા માંગુ છું.
નગીનદાસભાઈ તમે એ દંડકઅરણ્ય માં ક્યારેય ગયા નથી કે જવાના પણ નથી, જ્યાં અરુંધતીએ જઈને રાતો ની રાતો ગુજારી છે, ત્યાં જઈને, જો હિમ્મત્ત હોય તો, લખો, પણ તમે હવે આ વયે ત્યાં જવાનાનથી. જો તમે પોતે ત્યાં જઈને રીપોર્ટીંગ નાં કરવાના હો તોઆવો આક્ષેપ તો નાં મુકો તેમના પર. તેઓ એ તો ચોખ્ખું કીધું છે કે આ એ લોકોએ નથી કર્યું. આ તો CPM વાળાએ ચૂંટણી જીતવા કર્યું છે. તમને ખબર છે કેમ મમતાએ CBI ની માંગણી કરી? કાઈ તો કારણ હશેને ભાઈ શ્રી નગીનદાસજી. anyway જરા આટલું વાંચી જજો, આંખમાંથી આંસુ નાં ટપકે તો કહેજો. જો તમે સાચા ગુજરાતી હશો અને કોઈનોયે પગાર ખાધા વગર લખતા હશો તો આ વાચ્યા પછી તમે તમારું મંતવ્ય બદલશો, મને ખાતરી છે. અને હું હમેશા તમારી સાથે ચર્ચા કરવા તય્યાર છું. સાહેબ.
આજે આખી દુનિયા જાણે છે કે સુભાષબાબુની પહેલી પ્રેરણાનું બિંદુ ગાંધીજ હતા. તેમ છતાં તેમણે શસ્ત્રો ઉઠાવ્યા અને દિમાપુર સુધી આવ્યા. સાહેબ ઈતિહાસ કેમ ભૂલો છો? આજના કોઈ ગાંધીના અનુયાયીઓ જો સુભાષબાબુને રસ્તે જવા માંગતા હોય તો તમે કે કોઈ ઉદ્યોગપતિ કે કોઈ રાજકારણી તેમણે રોકી શકવાનો છે? અને અરુંધતીએ તો મરાઠી પત્રકાર પરિષદમાં ખુલ્લું આવ્હાન આપું છે કે હું સરહદ ની આ પાર છું. મને પકડો અને જેલ માં નાખો.
પણ મારી સાથે વાત પણ કરવા પહેલા આ વાંચી જજો. જો કે હું નથી ધારતો કે તમે આ વાંચ્યા પછી પણ … કેમકે એ માંધાતાઓ જેને માટે તમે લખો છો, તમને તમારો મત બદલવા નહિ દે. પણ ખેર, વાંચો તો સહી. અને પછી કહો કે હું જે કહું છું તે સાચું છે કે ખોટું છે? ગાંધીએ જે ચંપારણમાં ક્રાંતિ કરેલી તેજ પ્રદેશમાં આજે લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે બાપ.આપણા ગાંધીવાદી દિગ્ગજ નારાયણ દેસાઈને પણ આ ગવર્મેન્ટ ત્યાં જવા નથી દેતી સાહેબ. તમે જશો તે દેશમાં? આ વાંચો પછી જેને વિષે જે લખવું હોયે તે લખજો “Click Here.” જો તમારામાં જરા પણ માનવતા હોયે તો આ વાંચીને પછી લખજો. અરે ભાઈ તમારે ઘરે બેસીને ચિત્રલેખા માટે લખવું બહુ સહેલું છે. ત્યાં જઈને અરુંધતીની જેમ હીરો થઇ ને લખો તો જાણું. બાકીતો પોલું છે તે બોલ્યું છે અને ચિત્રલેખાએ છાપ્યું છે.
Please do not comment on this article unless you have read the essay of Arundhati Roy, Gandhi with Guns, published in the Guardian UK. the link is provided here. http://www.guardian.co.uk/books/2010/mar/27/arundhati-roy-india-tribal-maoists-1
Twitter
One comment
Leave a reply